સોમ ભાગ-૩
વાર્તાનું
નામ : સોમ ભાગ-૩
“માં
એ માં, શું થાય છે તને? કેમ રડે છે તું? માં કાંઇક બોલ તો ખરી. આમ કેમ તડપે છે?”
“કાંઇ
નહી થયુ દીકરા મને. હવે મારે પણ તારા પિતા પાસે જવું છે. એ મને બોલાવે છે હવે. જતા
જતા તમને મારે થોડી વાત કહેવી છે તો સાંભળો મારી વાત.
“માં
તારાથી બોલી શકાતુ પણ નથી તો એક કામ કર તું આરામ કર. હું હમણા જ તારા માટે થોડા
દાણા અને પાણી લાવુ છું. તેને ખાવાથી તને સારૂ મહેસુસ થશે.”
“બેટા
તું કે પુલકિત બન્ને માંથી કોઇ હવે મારી આંખથી દૂર ન થશો. મારી પાસે સમય બહુ ઓછો
છે. તું હંમેશા પુલકિતનું ધ્યાન રાખજે અને તેને હંમેશા આ નિષ્ઠુર માણસજાતથી
બચાવીને રાખજે. આજે માણસે આપણી ચકલીઓની પ્રજાતિને નામશેષ કરી મુકી છે તેમા આપણા
જેવી અમુક ચકલીઓ જ આ દુનિયા પર બચી છે. માટે હરહંમેશ તુ પુલકિતની સાથે જ રહેજે અને
તેને બધી ખુશી આપજે, જે તેને મારી પાસેથી ન મળી હોય.”
“પુલકિત,
તુ પણ હંમેશા મોટાભાઇની સાથે જ રહેજે અને તેના કહ્યા મુજબ જ વર્તન રાખજે. આ દુનિયા
બહુ ક્રુર છે. તમારે હજુ ઘણુ આ દુનિયા સામે ઝઝુમવાનુ છે તો ખભે ખભો મીલાવીને રહેજો
અને સુખ હોય કે દુઃખ ઇશ્વરને ભુલજો નહી અને હંમેશા તેણે ચીંધ્યા માર્ગે જ ચાલજો,
તેમા જ તમારી ભલાઇ છે બચ્ચાઓ. કુદરતના બતાવેલા રસ્તાથી જરા પણ આઘા પાછા થશો તો
તમારુ પતન જ છે એમ સમજજો.” રેવાના શ્વાસ ઉંચા થવા લાગ્યા.
“પુલકિત,
તું મા નું ધ્યાન રાખજે. હું હમણા જ આવ્યો.” કહેતો સોમ હવાને ચીરતો દૂર આકાશમાં ઊડી
ગયો.
“માં,
મને છોડીને ક્યાંય ન જતી તું. હું હવે ઊડવાનુ પણ શીખી ગઇ છું ને? હું તને ખોરાક
અને પાણી લાવી આપીશ અને તારી સેવા કરીશ પણ તુ ક્યાંય ન જતી. આ દુનિયા તારા વિના
નકામી છે મારા માટે મા.” કહેતી પુલકિત રડવા લાગી અને માની પાંખમાં છુપાઇ ગઇ.
સોમ
મોરલા દાદા પાસે જઇ તેની માતાની સમસ્યા બતાવી અને દવા લઇ ઝડપથી ઉડતો પાછો માળામાં
આવી પહોચ્યો. ત્યાં તેણે જોયુ કે પુલકિત માની પાંખમાં ચહેરો છુપાવી રડતી હતી.
“માં
એ માં, જો હું તારા માટે મોરલા દાદા પાસેથી દવા લાવ્યો છું અને થોડા દાણા પણ
લાવ્યો છું. તુ આ દાણા અને દવા ખાઇ લે ત્યાં સુધીમાં હું પાણી લાવી આપુ. માં એ માં.............
બોલ તો ખરી કાંઇક માં........” કહેતો સોમ તેની માતાને હચમચાવા લાગ્યો પણ રેવા હવે
આ દુનિયામાં ન હતી. તેનુ પ્રાણપંખેરુ ઉડી ગયુ હતુ. સોમ અને પુલકિત બન્ને તેની
માતાની ગોદમાં માથુ રાખી ખુબ રડ્યા પણ તેના આંસુ કોઇ સમજી શકે તેવુ આસપાસ હતુ જ
નહી....
આખી
રાત્રી બન્ને બચ્ચાઓ માતાના મૃત્યુના દુઃખમાં રડતા ત્યાં માળામાં જ બેસી
રહ્યા.વહેલી સવારે બન્ને બાળકો દુઃખી હ્રદયે તેની માતાને ત્યાં માળામાં જ સુવાડી
હંમેશાને માટે માળો છોડી ત્યાંથી જતા રહ્યા. જ્યારે માતાપિતાનો સાથ અને હાથ આપણા
પરથી ઊઠી જાય છે ત્યારે નાની નાની પરિસ્થિતિમાં પણ આપણે મુંઝાઇ જઇએ છીએ. આપણે
એકાએક બેસહારા અને બેસહાય બની જઇએ છીએ તેવી જ હાલત અત્યારે પુલકિત અને સોમની હતી.
બન્ને
ઊડતા ઊડતા મોરલા દાદા પાસે આવ્યા અને તેમને બધી વાત કરી. મોરલાદાદાએ તે બન્નેને
તેમની પાસેના વૃક્ષ પર નાનો માળો બનાવી રહેવા કહ્યુ. પુલકિત ખુબ થાકી ગઇ હતી એટલે
સોમે તેને આરામ કરવા કહ્યુ અને પોતે આજુબાજુમાંથી નાના સળેકડા અને પાંદડા શોધવા
લાગ્યો. આજે તેને ખબર પડી કે માળો બનાવવા માટે વસ્તુઓ શોધવી કેટલી અઘરી છે. જેમ
તેમ કરીને તેણે નાનો માળો બનાવ્યો અને પુલકિતને આરામથી સુવાડી દીધી અને પોતે
પોતાના માટે અને પુલકિત માટે દાણા શોધવા નીકળી ગયો. એક કલાકની મહેનત બાદ થોડા દાણા
અને બીજ શોધી તે માળામાં પહોચ્યો ત્યાં પુલકિત હજુ ઉંઘતી હતી. તેને જગાડી થોડુ
ખવડાવ્યુ ત્યાં મોરલાદાદા બન્નેની ખબર પુછવા આવી ગયા.
“કેમ
બાળકો બન્ને જમ્યા કે નહી? ચાલો મારા માળામાં હું તમારા માટે પણ દાણા લાવ્યો છું
આજે.”
“દાદા
અમે દાણા ચણી લીધા હમણા જ. ખુબ આભાર આપનો કે તમે અમારી ધ્યાન રાખવા અને ખબર લેવા
માટે આવ્યા.” બોલતા પુલકિતને તેની માતાની યાદ આવતા તે રડી પડી.
“બેટા
રડવાનુ નહી. આ દુનિયામાં કોઇ કાયમી રહેવાનુ નથી એ સનાતન સત્ય છે. આપણે જોઇએ છીએ કે
માણસ અત્યારે ખુબ શક્તિશાળી બની ગયો છે. તેણે પોતાની સુખ સુવિધા માટે ઘણી વસ્તુઓ
બનાવી લીધી છે. અરે મે તો ત્યાં સુધી સાંભળ્યુ છે કે માણસે પોતાના જેવા જ અને
પોતાની જેમ જ કામ કરી શકે તેવા યંત્રમાનવ પણ બનાવી રાખ્યા છે પણ એ માણસને પણ હજુ
સુધી ખબર નથી કે માતાના ગર્ભમાં બાળક ક્યાંથી આવે છે અને મૃત્યુ બાદ માણસનો જીવ
ક્યાં જાય છે?”
“દાદા
એ માણસ આટલો શક્તિશાળી બની ગયો છે તો તેણે એ સમજવુ ન જોઇએ કે આપણા રહેઠાણ સમાન
વૃક્ષોને કાપે નહી અને જંગલો અને પાણીના સ્ત્રોતને બગાડે નહી?” સોમે પુછ્યુ.
“બેટા,
માણસ જ્યારે સર્વ સત્તાધીશ બની જાય છે ત્યારે તેને નાના જીવોની સુવિધાની કોઇ દરકાર
રહેતી નથી. આ માણસ પહેલા આવો ન હતો. જુના જમાનામાં માણસો વૃક્ષોની કત્લેઆમ કરતા ન
હતા. અરે માણસ એટલો દયાળુ હતો કે આપણા માટે વહેલી સવારે દાણા વેરતો હતો. ઘરની
આંગણે આપણે નિર્ભયતાથી ચણવા જતા હતા. એટલુ જ નહી પાણીના નાના નાના કુંડા પણ ભરી
રાખતો હતો માનવ જેમાથી આપણે ધરાઇને પાણી પી શકતા હતા.
“દાદા
આટલો દયાળુ માણસ આમ ક્રુર કઇ રીતે બની ગયો?” પુલકિતે નિર્દોષતાથી પુછ્યુ.
“બેટા
જેમ જેમ માણસની જરુરિયાતો વધવા લાગી તેમ તેમ તેણે વિશાળ જંગલોને કાપવાનુ શરૂ કરી
દીધુ. ધીમે ધીમે જંગલોનુ સ્થાન વિશાળ મકાનોએ લઇ લીધુ અને આપણું નિવાસસ્થાન છીનવાઇ
ગયુ. પહેલા આપણે માણસોના આંગણે આરામથી ચણવા જઇ શકતા હતા પણ ધીમે ધીમે માણસે પોતાના
ઘરની સજાવટ માટે આપણને કેદ કરવાનુ શરૂ કરી દીધુ. બીક ભય અને ડરને કારણે આપણે
લોકોથી દૂર રહેવાનુ જ શરૂ કરી દીધુ. આપણે તેના આંગણે ચણવા જતા તો ખરા પણ મનમાં સતત
ડર રહેતો કે ક્યાંક તેઓ આપણને કેદ ન કરી લે.
ઘણી
વખત નાના ચકલીના બચ્ચાઓ કે પોપટના બચ્ચાઓ આ રીતે કેદ પુરાયેલા અમે જોયા છે. તેમનુ
જીવન પછી એ પાંજરૂ જ બની જાય છે. માણસ તેને ખુબ સારૂ ખાવાનુ આપે છે પણ મુક્ત બની
વિહરવુ એ આપણો સ્વભાવ છે તે રીતે માણસ આપણને બત્રીસ ભાતના ભોજન જમાડે તેના કરતા
જાતે ઊડાન ભરીને શોધીને ખાધેલા અનાજના બે દાણા આપણને વધુ સંતોષ આપે છે.
“દાદા,
શું માણસ પહેલા જેવો ન બની શકે? તેના હ્રદયમાં હવે જરા પણ આપણા માટે દયાભાવ રહ્યો
નથી? શું તે એ ન સમજી શકે કે આપણામાં પણ જીવ છે અને આપણે પણ ભગવાને સંવેદના લાગણી
આપી છે?” સોમે પુછ્યુ.
“બેટા
આજે આ ઝડપી યુગમાં પણ ઘણા મનુષ્યો એવા છે કે જે આપણને સમજે છે. હજુ આજે પણ ઘણી
જગ્યાઓએ પાણી પીવા માટેના કુંડા રાખે છે, ચણિયારા બનાવે છે અને નિયમિત ચણ નાખે પણ
છે. અરે, માણસ તો તમારા જેવા નાના પક્ષીઓને રહેવા માટે તેના ઘરના રવેશમાં માળા પણ
રાખે છે. પણ બાળકો એક વાત યાદ રાખજો કે માણસને સમજવો ખુબ અઘરો છે, દરેક માણસ પર
આંખ બંધ કરીને ભરોસો ન કરજો. હંમેશા આગળ પાછળ ધ્યાન આપીને અને સાવચેત બનીને રહેજો.
હું જ્યાં સુધી જીવીત છું ત્યાર સુધી તમારી સાથે જ છું. ભલે તમે ચકલી અને હું મોર
છું પણ આપણી વચ્ચે માણસ માણસ વચ્ચે જે કાપાકાપી અને મારામારી છે તેવો વ્યવહાર
ક્યારેય નહી આવે સમજયા દીકરાઓ.????”
“ખુબ
આભાર દાદા. આજે તમારી સાથે વાત કરીને એ મેહસુસ થાય છે કે આ દુનિયામાં અમે એકલા
નથી. એક અનુભવી અને જાંબાઝ મોરદાદા અમારી સાથે હંમેશા છે.” સોમે કહ્યુ.
“હા
દાદા, આજે એક સમજદારીની વાત તો હું પણ તમને કહેશ કે સારૂ છે પરમકૃપાળુ પરમાત્માએ
મને માણસ બનાવી નથી. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે ભગવાન હરએક જ્ન્મમાં
પક્ષી બનાવે અને હું આ કુદરતના ખોળે મુક્ત રીતે અને મીઠા ગીત ગાઇ તેનો આભાર વ્યક્ત
કરુ.”
“હા દીકરાઓ. ચલો હવે સુઇ જાઓ. કાલે
વહેલા ઉઠવાનુ પણ છે ને???” કહેતા સોમ અને પુલકિત મોરલાદાદાને પ્રણામ કરી માળામાં લપાઇ ગયા.
**********
સમાપ્ત
WRITTEN BY –
RUPESH GOKANI
CONTACT NO. –
80000 21640
Comments
Post a Comment