નવું જીવન - 2
નવું જીવન - 2 નિરંજનના મૃત્યુ પછી કામિની શિવણ ઉપરાંત ભરતગુંથણ અને મજુરીકામે જવાનુ પણ શરૂ કરી દીધુ હતુ. આટલી તનતોડ મહેનત કરવા છતા પણ જે પણ કાંઇ કમાણી થતી તે તેના સાસુની દવા અને ઘરખર્ચમા વપરાઇ જતી. કારમી મોંઘવારી વચ્ચે બે પૈસા ક્યારેય બચતા નહી. ગામડામા શિવણ અને ભરતગુંથણની બહુ ખાસ આવક ન થતી અને જો શહેરમા રહેવા જાય તો તેને બે ટંક ખાવાના પણ ફાંફા મારવા જેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ હતુ. આખો દિવસ કામ કરવાને લીધે કામિનીનું શરીર પણ ઘસાવા લાગ્યુ હતુ. પાંત્રીસ વર્ષની ઉંમરે પણ તે પચાસ વર્ષ જેવી લાગતી હતી. ધીમે ધીમે નાના મોટા રોગ પણ તેના શરીરમા ઘર કરવા લાગ્યા હતા. આથી તેના સાસુના અથાક પ્રયત્નો છતા કોઇ યોગ્ય પાત્ર કામિની માટે મળતુ ન હતુ. તેની જ્ઞાતિમાં હવે બધાની પરિસ્થિતિ સધ્ધર થવા લાગી હતી તેથી કામિની જેવી ગરીબ અને વિધવા સાથે કોઇ લગ્ન કરવા તૈયાર ન હતુ. જીવતીબેન તો પરજ્ઞાતિમા પણ ઓ યોગ્ય પાત્ર મળે તો કામિનીના લગ્ન માટે રાજી હતા પણ બીજી ...